આણંદ પાસે સર્જાયો બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત

admin
1 Min Read

આણંદ જિલ્લામાંથી પસાર થતા વાસદ-આસોદર રોડ બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

મળતી માહિતી મુજબ, મૂળ વડોદરાના રહેવાસી હિતેશભાઈ પંડ્યા, તેમની પત્ની જયશ્રીબેન અને પુત્ર વિવેક ત્રણેય એક પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. જે દરમિયાન આણંદના આસોદરા ક્રોસ રોડ પાસે કંથારીયા ગામ નજીક એક કાર સાથે તેમનો અકસ્માત સર્જાયો હતો.

આ ગંભીર અકસ્માતમાં બન્ને કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જ્યારે અકસ્માતમાં હિતેશભાઈ, જયશ્રીબેન અને તેમના 14 વર્ષીય પુત્રનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. અકસ્માતના પગલે રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા.જ્યારે બનાવની જાણ થતા સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતમાં મોતને ભેટેલ મૃતકોની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હતી. જ્યારે અકસ્માતમાં ઘાયલ થયેલાઓને સારવાર અર્થે ખસેડી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Share This Article