દિલ્હીનાં સાંસદ હંસરાજ હંસનું નિવેદન – JNU નું નામ બદલી MNU કરી દેવુ જોઈએ

admin
1 Min Read

જેએનયુમાં યોજાયેલા એક સમારોહમાં દિલ્હીનાં લોકસભા સાંસદ હંસરાજ હંસે હાજરી આપી હતી. જેમાં તેમણે જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીનું (જેએનયુ) નામ બદલી એમ.એન.યુ કરવાની વાત કરી હતી. તેમજ જમ્મૂ-કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવાના નિર્ણયને લઇને મોદી સરકારને અભિનંદન પાઠવ્યા હતા અને કહ્યું કે મોદી અને અમિત શાહ દ્વારા લેવાયેલા અહેમ નિર્ણયને લોકોએ ખૂબ જ પસંદ કર્યો છે. ખુશી એ વાતની પણ છે કે કાશ્મીર હવે હકીકતમાં જન્નત બનશે. આ અંગે ન્યૂઝ એજન્સી દ્વારા હંસરાજ હંસનો આ વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો હતો.

Share This Article