સુશાંતસિંહ આત્મહત્યા કેસ : પોલીસે અભિનેત્રી અંકિતા લોખંડેની કરી પૂછપરછ

admin
1 Min Read

બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના મોતને દોઢ મહિનાથી વધુ સમય વીતી ગયો છે. જોકે તેમ છતાં હજી સુધી પોલીસ આ અંગે સુશાંતના મોતને લઈ કોઈ નક્કર કારણ શોધી શકી નથી. ત્યારે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસમાં તપાસ માટે બિહાર પોલીસે સુશાંતના નાણાકીય લેણદેણ અને બેંક એકાઉન્ટ વિવરણની તપાસની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

(File Pic)

આ મામલે પોલીસે અભિનેત્રી અને સુશાંતની એક સમયની ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેની પૂછપરછ કરી હતી. પોલીસે આશરે એક કલાક સુધી અંકિતા લોખંડેની પૂછપરછ કરી તેનું નિવેદન નોંધ્યુ હતું.

(File Pic)

આપને જણાવી દઇએ કે સુશાંત સિંહ કેસમાં અંકિતા એક મહત્વપૂર્ણ કડી હતી. બિહાર પોલીસે અંકિતા લોખંડેનું નિવેદન નોંધ્યુ છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે સુશાંતસિંહ કેસમાં અંકિતાના સ્ટેટમેન્ટથી કયા નવા તથ્યો સામે આવે છે. સુશાંત સિંહ રાજપૂતનાપિતા કૃષ્ણ કુમાર સિંહએ મંગળવારે રિયા ચક્રવતી અને છ અન્ય વિરૂદ્ધ પટનામાં ફરિયાદ નોંધાવી છે.

Share This Article