બિહારનાં પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાનું લાંબી બિમારી બાદ અવસાન થયું છે. છેલ્લા કેટલાય સમયથી દિલ્હીની હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. મહત્વનું છે કે જગન્નાથ મિશ્રાનું 82 વર્ષની વયે મૃત્યું થયુ છે. તેમના નિધનના પગલે રાજકીય દળોમાં શોકનું મોજું ફરી વળ્યુ છે. તેમજ સ્થાનિક નેતાઓથી માંડી દિગ્ગજ નેતાઓએ જગન્નાથ મિશ્રાના નિધનને પગલે દુઃખ વ્યક્ત કરી તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમના કાર્યકાળ પર એક નજર કરીએ તો તેઓ 3 વખત બિહારના મુખ્યમંત્રીનું પદ સંભાળી ચૂક્યા છે. જગન્નાથ મિશ્રાએ પહેલી વહેલી વાર 1975માં બિહારની સત્તા સંભાળી હતી. જે બાદ 1980માં બીજી વખત અને 1989માં ત્રીજીવાર સત્તા સંભાળી હતી. આ ઉપરાંત જગન્નાથ મિશ્રા 90ના દાયકા દરમિયાન કેન્દ્રિય કેબિનેટમાં પણ સ્થાન મેળવી ચુક્યા છે. જગન્નાથ મિશ્રાનાં નિધન બાદ બિહારનાં વર્તમાન મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે 2013માં રાંચીની વિશેષ કેન્દ્રીય તપાસ બ્યુરોએ તેમને ઘાસ ગોટાળામાં 44 અન્ય લોકો સાથે સજા કરવામાં આવી હતી. જેમાં તેમણે 4 વર્ષની સજા અને 2 હજાર રુપિયાનો દંડ પણ ચુકવવો પડ્યો હતો. જગન્નાથ મિશ્રાએ કોંગ્રેસ પાર્ટી છોડ્યા પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં શામેલ થયા હતા જે બાદ તેમણે જનતા દળમાં પણ કાર્ય કર્યુ હતું.
બિહારનાં પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાનું અવસાન
You Might Also Like
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.