રુપાણી સરકાર લોકોના નળ સુધી પાણી પહોંચાડશે, લીધો મહત્વનો નિર્ણય

admin
1 Min Read

‘નલ સે જલ’ મિશનમાં ગુજરાતની અગ્રેસરતા માટે બે ક્રાંતિકારી નિર્ણયો કરવામાં આવ્યા છે. જે અંતર્ગત હવે ગેરકાયદે પાણી કનેક્શનોને કાયદેસર કરવામાં આવ્યા છે.

રાજ્યની રુપાણી સરકાર દ્વારા લેવામાં આવેલ મહત્વના નિર્ણય અંતર્ગત રાજ્યના નગરો-મહાનગરોમાં અડધા ઇંચ સુધીના ગૃહ વપરાશના ખાનગી સ્વતંત્ર રહેણાંકના ભુતિયા-ગેરકાયદે જોડાણો 31 ડિસેમ્બર 2020 સુધીમાં માત્ર રૂ. પ૦૦ની નજીવી ફી લઇને નિયમીત-રેગ્યુલરાઇઝડ કરી આપવા માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સૂચવ્યું છે.

એટલું જ નહિ, તેમણે એવો પણ અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે કે, નગરો-શહેરો-મહાનગરોમાં ખાનગી ઝૂંપડપટ્ટીઓને પાણીના જોડાણોની માંગણી થવાથી નિયમાનુસાર ધોરણે નળ જોડાણ-કનેકશન આપી દેવાશે. મુખ્યમંત્રી વિજય રુપાણીએ રાજ્યના ૮ મહાનગરો તથા રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનરો સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ યોજીને ‘નલ સે જલ’ મિશનની કામગીરી, રોડ-રસ્તા રિપેરીંગ, કોરોના સંક્રમણ નિયંત્રણ તેમજ નાગરિક સુવિધા-સુખાકારીના કામોની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ નિયંત્રણ કામગીરી સાથે રોજબરોજના કામો-વિકાસ કામોને પણ પ્રાધાન્ય આપવા સૂચના આપી છે. સાથે જ રોડ-રસ્તા રિપેરીંગ-નવિનીકરણના કામો દિવાળી પહેલાં પૂર્ણ કરવા ડિટેઇલ પ્લાનીંગ કરવા જણાવ્યું છે.

Share This Article