ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના 1300થી વધુ કેસ નોંધાયા

admin
2 Min Read

ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. કેસોની સંખ્યા સતત વધવાના કારણે તંત્રની પણ ચિંતા વધી છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા બાદ જામનગર અને રાજકોટમાં પણ કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વધુ એક વખત 1300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં 4 સપ્ટેમ્બર સાંજથી 5 સપ્ટેમ્બર સાંજ સુધીમાં રાજ્યમાં વધુ 1311 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 1,03,006 થઈ છે.

રાજ્યમાં કોરોનાનો કહેર વધતા તંત્ર પણ હરકતમાં આવ્યુ છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તો બીજીબાજુ રાજ્યમાં 24 કલાકમાં 1148 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે 24 કલાકમાં વધુ 16 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 3094 થયો છે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 83546 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 277 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 167, વડોદરામાં 119 અને રાજકોટમાં 145 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગરમાં 42, જામનગરમાં 111 , પંચમહાલમાં 33, કચ્છમાં 20, ભરુચમાં 25 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 16366 એક્ટિવ કેસ હોવાની વિગત સામે આવી છે.

Share This Article