ગુજરાતમાં નથી થમી રહ્યો કોરોનાનો કહેર

admin
1 Min Read

ગુજરાતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. કેસોની સંખ્યા સતત વધવાના કારણે તંત્રની પણ ચિંતા વધી છે. ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા બાદ જામનગર અને રાજકોટમાં પણ કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં 11 સપ્ટેમ્બર સાંજથી 12 સપ્ટેમ્બર સાંજ સુધીમાં રાજ્યમાં વધુ 1365 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા વધીને 1,12,336 થઈ છે. તો બીજીબાજુ રાજ્યમાં એક જ દિવસમાં 1335 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના કેસ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રાજ્યમાં 24 કલાકમાં વધુ 15 દર્દીના કોરોનાથી મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 3198 થયો છે. જ્યારે અત્યાર સુધી રાજ્યમાં કુલ 92805 દર્દીઓની તબિયતમાં સુધારો થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં આજે નોંધાયેલ કેસોમાં સૌથી વધુ કેસ ફરી એકવાર સુરતમાં સામે આવ્યા છે. સુરતમાં 24 કલાકમાં 278 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદમાં 175, વડોદરામાં 123 અને રાજકોટમાં 146 કેસ નોંધાયા છે. જ્યારે ભાવનગરમાં 41, જામનગરમાં 125, પંચમહાલમાં 29, કચ્છમાં 18, ભરુચમાં 19 કેસ નોંધાયા છે. હાલ રાજ્યમાં કુલ 16333 એક્ટિવ કેસ હોવાની વિગત સામે આવી છે.

Share This Article