ભાવનગરમાં નિવૃત્ત DySPના પુત્રના ઘરમાં પરિવારે રિવોલ્વરથી કર્યો સામૂહિક આપઘાત

admin
2 Min Read

ભાવનગરમાં સામૂહિક આત્મહત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમા એક જ પરિવારના 4 લોકોએ આપઘાત કરી લીધો છે. આ બનાવ નિવૃત DySPના ઘરમાં બન્યો છે જ્યાં પુત્રના પરિવારે આપઘાત કરી લીધો છે. સમગ્ર પરિવારે રિવોલ્વરથી ગોળી મારી આપઘાત કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. રિટાયર્ડ DySPનો પુત્ર પૂત્રવધુ અને 2 બાળકોના મોત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનગરના વિજય રાજનગર વિસ્તારની આ ઘટના છે. જ્યાં રિટાયર્ડ Dysp નરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર પૃથ્વીરાજસિંહ જાડેજાએ પત્ની બીનાબા અને બે દીકરીઓ નદીનીબા (ઉં.વ.18) અને યશસ્વીબા (ઉં.વ.11) સાથે સામૂહિક આપઘાત કર્યો છે. રિટાયર્ડ DySPના પુત્રના ‘પૃથ્વી રાજ બંગ્લો’માં આ ઘટના બની છે. પૃથ્વી રાજે બે બાળકોને રિવોલ્વરથી ગોળી માર્યા બાદ પોતાની પત્નીને પણ ગોળી મારી હતી અને બાદમાં તેણે પણ આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા પહેલા તેણે પોતાના મિત્રોને મેસેજ પણ કર્યા હતાં.

પ્રાપ્ત માહિતી અનુસાર રિવોલ્વરથી ગોળી માર્યા પહેલા DySPના પુત્ર પૃથ્વીરાજે મિત્રોને મેસેજ પણ કર્યા હતા અને મેસેજમાં કહ્યું હતું કે, ‘હું આપઘાત કરુ છું, ઘરનો દરવાજો ખુલ્લો છે આવી ને જોઈ જશો. તેવો મેસેજ પોતાના મિત્રો ને કર્યો હતો’.

પૃથ્વીરાજે સાંજે 5.34 મિનિટે પોતાના મિત્રોને મેસેજ કર્યા હતા. જોકે આત્મહત્યા કરવા પાછળનું કારણ અત્યાર સુધી સામે આવ્યુ નથી. હાલ ભાવનગર પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article