માજી સૈનિકો દ્વારા મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડ મોકલવામાં આવ્યા

admin
1 Min Read

ઇડર તાલુકા માજી સૈનિકો દ્વારા મુખ્યમંત્રીને અલગ-અલગ માંગણીઓ સાથે પોસ્ટ કાર્ડ લખીને મુખ્યમંત્રીને મોકલવામાં આવ્યા હતા. જેમા દેશની સેવા કરીને રિટાયરડૅ થયેલા માજી સૈનિકોને અવસાન થાય તો તેઓના પરિવારના એક માણસને સરકારી નોકરી, સરકારી જગ્યા તેમજ ૧ કરોડ રૂપિયા સુધીની સહાય તેમજ અલગ અલગ ૧૪ જેટલા મુદ્દાઓની માંગણી સાથે ઇડર પોસ્ટ ઓફિસ ખાતે માજી સૈનિકોએ ભેગા મળીને પોસ્ટકાર્ડ લખીને મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્રો મોકલવામાં આવ્યા હતા. જેમા ઇડર તાલુકાના મોટી સંખ્યામાં માજી સૈનિકો ઉપસ્થિત રહ્યા. કોરોનાવાયરસની મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનું ધ્યાન રાખીને આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share This Article