કોરોના વાયરસની મહામારી દુનિયા ભરમાં ત્રાસ વર્તાવી રહી છે. દુનિયાભરમાં ડઝન કોરોનાની રસી બનાવવામાં આવી રહી છે. ત્યારે રશિયાએ સૌથી પહેલા રસી બનાવી હોવાનો દાવો કર્યો છે. તેમ છતાં કારગત સુરક્ષિત રસી ક્યારે લોકો સુધી પહોંચશે તે કહેવું મુશ્કેલ છે. બીજી તરફ ભારતમાં કોરોનાની રસીના આગમનના એંધાણ છે.
ભારતે રશિયાની સ્પુતનિક વીને પરિક્ષણ માટે પરવાનગી આપી છે. ભારતે રશિયાની સ્પુતનિક વીને પરિક્ષણ માટે પરવાનગી આપી છે. હવે કોરોનાની રસી સ્પુતનિક વીનું પરિક્ષણ ભારતમાં 100 વોલેન્ટિયર્સ પર કરવામાં આવશે. ડીજીસીઆઈ દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી હતી.
ડીજીસીઆઈએ પરિક્ષણ કરનારી ફાર્માસ્યુટિકલ કંપની ડો. રેડ્ડીની લેબને આ માટે પરવાનગી આપી છે. હાલમાં પરિક્ષણની તારીખ અને સમય કંપની દ્વારા નક્કી કરવામાં આવશે. સ્પુતનિકના સંગઠનના હવાલાથી કહેવામાં આવ્યું છે કે રસીના ત્રીજા ચરણમાં પહોંચતા પહેલા રસીના 2 ક્લીનીકલ ટ્રાયલ કરવામાં આવશે. ત્યારે ગત ડીજીસીઆઈની વિશેષજ્ઞ સમિતિના બીજી ચરણના ક્લીનિકલ ટ્રાયલને લઈને ડૉ. રેડ્ડીની લેબને પરવાનગી આપવાની અરજી કરવામાં આવી હતી.