ગુજરાતમાં પીએમ મોદીનું આગમન, કેશુબાપા તેમજ કનોડિયા પરિવારને મળી પાઠવી સાંત્વના

admin
1 Min Read

આજે 2 દિવસ માટે પીએમ મોદી વિવિધ કાર્યક્રમોના ઉદ્ઘાટન માટે ગુજરાત આવી પહોંચ્યા છે. ત્યારે પીએમ મોદીએ પોતાના કાર્યક્રમમાં મોટો ફેરફાર કરી ગુજરાતના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિવાસ સ્થાને પહોંચી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

સાથે જ આ દરમિયાન તેઓ સ્વ. નરેશ અને મહેશ કનોડીયાના પરિવારને પણ મળવા પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાને તેમના પરિવારને મળી સાંત્વના આપી હતી..

મહત્વનું છે કે અમદાવાદ એરપોર્ટથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાફલા સહિત કેશુભાઈ પટેલના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. જ્યાં પગે લાગીને કેશુબાપાને શ્રદ્ધાંજલિ અર્પી હતીં.

તેમના આગમનને લઈને અમદાવાદ એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો હતો. તો સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું

Share This Article