“પુરીના” શ્વાનની પોષણની શક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે

admin
2 Min Read

શ્વાન ભરપૂર ઊર્જાશીલ હોય છે અને મોટે ભાગે પાલતુ જનાવરોના વાલીઓ માટે નિકટવર્તી સાથી તરીકે જોવામાં આવે છે. પાલતુ જનાવરોના વાલીઓ તેમનાં જનાવરો માટે આરોગ્યવર્ધક અને સક્રિય જીવન હાંસલ કરવાની તક જોતા હોય છે. જોકે ધીમે ધીમે મોટી ખુલ્લી જગ્યાઓ સંકોચિત થઈ રહી હોવાથી અને તેમના વહાલા શ્વાન માટે શારીરિક પ્રવૃત્તિઓ મર્યાદિત થવાથી યોગ્ય આરોગ્ય અને તંદુરસ્તી હાંસલ કરવાનું મુશ્કેલ બની ગયું છે. આ પાલતુ જનાવરોના વાલીઓને તેમના શ્વાસનની અસલી સંભાવનાઓ ઉજાગર કરવામાં સહાય કરવા પુરીના પેટકેર ઈન્ડિયા તેની બ્રાન્ડ સુપરકોટ માટે નવી કેમ્પેઈન લઈને આવી છે. આ ટેલિવિઝન કમર્શિયલ પોષણની શક્તિ અને ઉત્તમ પોષણ શ્વાનને તેમની સક્રિય જીવનશૈલી, આરોગ્યવર્ધક અને ચમકદાર કોટ અને મજબૂત સ્નાયુઓ પર કેન્દ્રિત છે.

આ કેમ્પેઈન વિશે બોલતાં પુરીના પેટકેર ઈન્ડિયાના ડાયરેક્ટર શ્રી ગૌરવ કુમાર ક્વાત્રા કહે છે, તમારા પાલતુ જનાવરો માટે પોષણની દષ્ટિએ યોગ્ય પસંદગીઓ કરવી અત્યંત મહત્ત્વપૂર્ણ છે. તમારાં જનાવરોને આરોગ્યવર્ધક અને સક્રિય રાખવાની ખાતરી રાખવામાં તે લાંબી મજલ મારે છે. પુરીનામાં અમારા 120 વર્ષના અનુભવે બતાવ્યું છે કે પાલતુ જનાવરોને યોગ્ય પોષણ મળે તો તે એકંદર સ્વાસ્થ્ય કલ્યાણ અને વર્તન દર્શાવે છે.

પોષણશાસ્ત્રીઓ, વર્તનશાસ્ત્રીઓ, પશુ ચિકિત્સકો અને અન્ય નિષ્ણાતોની અમારી ટીમ તમારા જનાવરો માટે બહેતર જીવનની ખાતરી રાખવા માટે સતત નવીનતા લાવતા રહે છે. પુરીના સુપરકોટ આ નવીનતાની પ્રોડક્ટ છે. અમને આશા છે કે આ કેમ્પેઈન બહેતર પોષકીય પસંદગીની તલાશ કરતા પાલતુ જનાવરોના વાલીઓને તેમના શ્વાસનની અસલી સંભાવનાઓ ઉજાગર કરવામાં મદદરૂપ થશે. ટીવીસી સુપરકોટ સાથે યોગ્ય પોષણની શક્તિ સાથે પાલતુ જનાવરોના વાલીઓને તેમનાં જનાવરોની સક્રિય જીવનશૈલી ઉજાગર કરવાના નિખાલસ પ્રયાસ છે. આ જાહેરાત સક્રિય જીવનશાલી ધરાવવા માટે જનાવરોને અભિમુખ બનાવવામાં પોષણ કેટલી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તે વાસ્તવિકતા પર ભાર આપે છે.

Share This Article