લેટર બોમ્બ નહીં લેટર કોરોના : કોરોના સંક્રમિત પત્રોથી આ લોકોને બનાવાઈ શકે છે નિશાન…

admin
1 Min Read

દુનિયામાં કોરોના વાયરસનો ખતરો ઓછો નથી થઈ રહ્યો. અનેક દેશોમાં કોરોના સંક્રમિત કેસની સંખ્યા સતત વધી રહી છે. એક વખત કાબૂમાં આવ્યા બાદ પણ અનેક દેશોમાં હાલત ફરીથી ખરાબ થઈ રહી છે. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય એજન્સી ઇન્ટરપોલે દાવો કર્યો છે કે દિગ્ગજ રાજકીય નેતાઓને કોરોના સંક્રમિત પત્રો મોકલીને શિકાર બનાવવામાં આવી શકે છે.

ધ ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન તરફથી દુનિયાભરની સુરક્ષા એજન્સીઓને ચેતવણી આપવામાં આવી છે. ઇન્ટરપોલ તરફથી એજન્સીઓને કહેવામાં આવ્યું છે કે કોવિડ-19 દસ્તાવેજોને લઈને સાવધાની રાખવી. ઇન્ટરપોલે દાવો કર્યો છે કે કોવિડ સંક્રમિત પત્રો અથવા દસ્તાવેજો મારફતે રાજકીય હસ્તીઓને નિશાન બનાવવામાં આવી શકે છે. તાજેતરમાં જાહેર કરવામાં આવી માર્ગદર્શિકા પ્રમાણે ઇન્ટરપોલે દુનિયાના અન્ય દેશો સહિત ભારતની તપાસ એજન્સીઓને ચેતવણી આપી છે, જેમાં કામ કરવાની અલગ અલગ રીત પર દેખરેખ વધારવાનું કહેવામાં આવ્યું છે.

Share This Article