તો શું આ વેક્સિન કામ નથી કરતી? વેક્સિન લીધા છતાં આ મંત્રી થયા કોરોના સંક્રમિત

admin
1 Min Read

દેશભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે કોરોનાનો ખાતમો કરવા માટે વેક્સિન પર પણ કામ ઝડપથી થઈ રહ્યુ છે ત્યારે વેક્સિનને લઈ ભારત માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે. 15 દિવસ પહેલા કોવિડ-19ની રસી લેનાર હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. તેઓએ ખુદ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી હતી.

ઉલ્લેખનીય છે કે 20મી નવેમ્બરના રોજ અનિલ વીજને ભારત બાયોટેક અને ICMRની દવા કોવેક્સીનની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. તેમને અંબાલા કેન્ટની નાગરીક હોસ્પિટલમાં આ ડોઝ આપવામાં આવ્યો હતો. પીજીઆઈ રોહતકની દેખરેખ હેઠળ મંત્રી વિજને વેક્સીન આપવામાં આવી હતી.

જેના અડધા કલાક સુધી તેમને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા. આ પહેલા રોહતક પીજીઆઈની ટીમે સ્વાસ્થ્ય મંત્રીના લોહીનું સેમ્પલ લીધું હતું. ત્યારે 15 દિવસ બાદ મંત્રી કોરોના સંક્રમિત થતાં ખળભળાટ મચ્યો છે અને મેડિકલ જગત પણ દોડતુ થયુ છે.

Share This Article