અખંડ ભારત નિર્માણમાં રજવાડાઓના ત્યાગ અને બલિદાનની ગાથા રજૂ કરતુ મેગેઝીન લોન્ચ

admin
1 Min Read

આઝાદી મેળવ્યા બાદ સરદાર પટેલ દ્વારા ભારતના 562 રજવાડાઓને સંગઠીત કરીને વિભાજીત થતા ભારતના સ્થાને અખંડ ભારતનું નિર્માણ કરવામાં આવ્યુ હતું. જે રાજા-રજવાડાઓએ પોતાનુ રાજ આપ્યુ તે અંગેની માહિતી આપતુ મેગેઝીન ધી રોયલ મેનર્સ મેગેઝીન શરુ કરવામાં આવ્યુ છે.

મળતી માહિતી મુજબ, અખંડ ભારતના નિર્માણમાં યોગદાન આપનાર પોતાના રજવાડાનો ત્યાગ કરનાર મહાનુભાવોની માહિતી આપતાં મેગેઝીનનું વડોદરામાં વિમોચન કરવામાં આવ્યું હતું. ભારતના 36 જાતિના 576 રાજવાડાઓએ અખંડ ભારતનાં નિર્માણમાં પોતાનું રાજપાટ આપ્યું હતું, ત્યારે આ વિવિધ રોયલ ફેમિલીની માહિતી આપતું મેગેઝીન ભારતમાં પ્રથમ વખત શરૂ કરવામાં આવ્યું છે. જે રાષ્ટ્ર ભાષા હિન્દી ભાષામાં આ મેગેઝીન શરુ કરવામાં આવ્યું છે.

“રાજકુલ નહિ રાષ્ટ્રકુલ” આ સ્લોગન સાથે મેગેઝીનનો પ્રથમ અંક બહાર પાડવામાં આવ્યો છે. જૂના રજવાડાંઓમાંથી હાલમાં કોણ હયાત છે, તેમના કુળ, રજવાડા, સ્થળ, હાલનો વ્યવસાય શું છે તે અંગે આ અંકમાં માહિતી આપવામાં આવી છે.

વિવિધ રજવાડા તેમજ સમાજનાં અગ્રણીઓનાં વિચારો રજૂ કરવામાં આવેલા છે. દરેક અંકમાં રજવાડાના કૂળ, વર્તમાન સ્થિતિ, રજવાડાના કુળ દેવતા તેમજ પૂર્વજો વિશેની માહિતી આપવામાં આવશે. અખંડ ભારતનાં નિર્માણ માટે યોગદાન આપનાર અને જે વિશે લોકોને જાણકારી નથી એવા વિવિધ જાતિ અને સમાજનાં રજવાડાઓ ની માહિતી આગામી અંકોમાં આપવામાં આવશે.

Share This Article