નાતાલ-થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ પ્રદિપસિંહ જાડેજાનું નિવદન

admin
1 Min Read

આગામી સમયમાં આવતા નાતાલ અને 31 ડિસેમ્બરે કરવામાં આવતી નવા વર્ષની ઉજવણીને લઈ રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહે મહત્વનું નિવેદન આપ્યુ છે.

આગામી સમયમાં આવતા નાતાલ અને 31 ડિસેમ્બરે કરવામાં આવતી નવા વર્ષની ઉજ્વણી માટે કોઈ જ છુટછાટ ના આપવાના સંકેત જાડેજાએ આપી દીધા છે.

ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ દાહોદની મુલાકાત દરમિયાન આ નિવેદન આપ્યુ હતું. તેમણે ઉત્તરાયણ અને 31 ડિસે.ને લઈ પણ કહ્યું હતું કે, તહેવારોમાં કોરોના મહામારીની ગાઈડલાઈન પ્રમાણેના હાલના જે નિયમો છે તે લાગુ રહેશે.

પ્રદિપ સિંહે કહ્યું હતું કે, તહેવારો માટે કોઈ અલગ SOP જાહેર નહીં કરવામાં આવે. કારણ કે કેન્દ્ર સરકારની તહેવારો માટે અલગ SOP નથી..

Share This Article