પીએમ મોદીની વાત અને કામની પ્રશંસા કરો, કોંગ્રેસના નેતા શશી થરુરનું ટ્વિટ…..

admin
1 Min Read

– કોંગ્રેસના વરીષ્ઠ નેતા શશી થરુરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કામની વધુ એક વખત પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યુ કે, વડાપ્રધાન મોદી જો સારુ કામ કરે છે તો તેમની પ્રશંસા થવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યુ કે, આનાથી જ્યારે વડાપ્રધાન મોદી ભૂલ કરશે તો અમારી ટીકાને વિશ્વસનિયતા મળશે. થરુરનું આ નિવેદન એવા સમયે આવ્યુ છે જ્યારે કોંગ્રેસના બે મોટા નેતાઓએ વડાપ્રધાન મોદીને ખલનાયક તરીકે રજુ કરવાને ખોટુ ગણાવ્યુ છે.

 

 

 

 

 

શશી થરુરે એક ટ્વિટના જવાબમાં ટ્વિટ કરી જણાવ્યુ હતું કે, જો તમે જાણો છો તો હું છ વર્ષ પહેલાથી જ એ કહી રહ્યો છું કે જ્યારે નરેન્દ્ર મોદી સારુ કહે કે સારુ કરે તો તેમની પ્રશંસા થવી જોઈએ. આનાથી જ્યારે પીએમ મોદી ખોટુ કરશે કે તેમની સરકારથી ભૂલ થશે તો આપણી ટીકાને વિશ્વસનિયતા મળશે. હું એ વાતનુ સ્વાગત કરું છું કે વિપક્ષના અન્ય નેતાઓ પણ એ વિચારને માનવા લાગ્યા છે, જે મેં પહેલા વ્યક્ત કર્યો હતો. મહત્વનું છ કે, સિનીયર કોંગ્રેસ નેતા જયરામ રમેશ બાદ, હવે અભિષેક સિંઘીએ પણ કહ્યુ હતું કે, વડાપ્રધાન મોદીને ખલનાયકની જેમ રજુ કરવા ખોટા છે અને આમ કરીને વિપક્ષ એક રીતે તેમની મદદ કરી રહ્યા છે.

Share This Article