સુશાંતસિંહનો આજે જન્મદિવસ…જિંદગી ઓછી જીવ્યા પણ ઘણું જીવી ગયા સુશાતસિંહ રાજપૂત

admin
2 Min Read

જો અભિનેતા સુશાંતસિંહ રાજપૂત હયાત હોત, તો ગુરુવારે તેઓ 35મો જન્મદિવસ ઊજવી રહ્યા હોત. જોકે ચાહકો તેમને ભૂલ્યા નથી અને તેમના જન્મદિનના એક દિવસ અગાઉ જ સોશિયલ મીડિયા ઉપર તેની ચર્ચા હતી અને #SushanSinghRajput #SushantBirthdayCelebration જેવા હૅશટૅગ દ્વારા ચાહકોએ તેમને મિસ કર્યા હતા.

સુશાંતસિંહ રાજપૂત જે હવે આપણી વચ્ચે નથી તે વાત હજુ પણ માનવામાં નથી આવી રહી. સુશાંત હવે ફિલ્મ પડદે નહીં જોવા મળી તે હકીકતને ફેન્સ હજુ પણ નથી સ્વીકારી શકતા.

આપણી વચ્ચે આ અભિનેતા ખૂબ ઓછા સમય માટે રહ્યા પણ તેઓએ સૌ કોઈને ખૂબ હસાવ્યા. સુશાંત ઓછું જીવ્યા પણ ઘણું જીવ્યા એ વાત સાથે સૌ કોઈ સહમત થશે. ત્યારે આજે આ સૌના દિલમાં વસેલા અભિનેતાનો બર્થડે છે. સુશાંતસિંહ સાથે જોડાયેલી અનેક વાતોને લોકોએ 2020માં જાણી લીધી છે. સુશાંતે ગુજરાતની પૃષ્ઠભૂમિ ધરાવતી ફિલ્મ ‘કાપ્યો છે’ દ્વારા ફિલ્મજગતમાં પદાર્પણ કર્યું હતું અને આંગળીના વેઢે ગણી શકાય તેટલી ફિલ્મોમાં કામ કર્યું હોવા છતાં ચાહકોનાં હૃદયમાં અનોખું સ્થાન ઊભું કર્યું હતું. સુશાંતસિંહ રાજપૂતે એમએસ ધોની, છીછોરે જેવી બોલીવુડની અનેક ફિલ્મોમા કામ કર્યું છે જેમાની અમુક ફિલ્મો ખૂબ હીટ રહી.

જૂન-2020માં તેમનું અવસાન થયું. મુંબઈ પોલીસનું કહેવું છે કે સુશાંતે આત્મહત્યા કરી હતી, જોકે કેટલાક ચાહકોનું માનવું હતું કે તેમની હત્યા કરવામાં આવી હતી. હાલ સર્વોચ્ચ અદાલતના આદેશને આધારે સી.બી.આઈ. દ્વારા તેમના મૃત્યુ વિશે તપાસ ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સમાં બોલીવૂડના અનેક મોટાં માથાંઓ પર સુશાંતને આત્મહત્યા માટે મજબૂર કરવાના આરોપ લાગ્યા છે, પરંતુ હજુ સુધી કશું નક્કર બહાર નથી આવ્યું.

Share This Article