જોધપુર જેલમાં આસારામની તબિયત લથડી

admin
1 Min Read
Jodhpur: Asaram Bapu on wheel chair at the Jodhpur airport as he is being taken to Delhi for medical check up in AIIMS from Jodhpur, Rajasthan on Sunday. PTI Photo(PTI9_18_2016_000094B)

સગીરાના જાતિય શોષણના કેસમાં જોધપુર જેલમાં આજીવન કેદની સજા ભોઘવી રહેલા આસારામની તબિયત લથડી હોવાનું જાણવા મળ્યુ છે. મોડી રાત્રે આસારામની તબિયત લથડતા જેલ તંત્રમાં અફરાતફરી મચી ગઈ હતી. આસારામની જોધપુરની મધ્યસ્થ જેલમાં તબિયત લથડતાં તેમને શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ગત રાતે 12 વાગ્યે આસારામને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હોવાની તેમણે ફરિયાદ કરી હતી. આ અંગેની જાણ જેલ વહીવટી તંત્રને થતા કડક સુરક્ષા વ્યવસ્થા સાથે તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

પોલીસ વેનમાં જ તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા. આસારામના સમર્થકોને આ અંગે જાણ થતા હોસ્પિટલ બહાર મોટાપાયે તેમના સમર્થકો એકત્ર થઈ ગયા હતા. મહત્વનું છે કે, હોસ્પિટલમાં ચાર ડોક્ટર્સની ટીમે આસારામનું ચેકઅપ કર્યું હતું અને સીટી સ્કેન પણ કરવામાં આવ્યું હતું. તેમના તમામ પેરામીટર્સની તપાસ કરી લેવામાં આવી છે અને સીટી સ્કેન તેમજ અન્ય રિપોર્ટર્સ નોર્મલ છે. ત્રણ કલાક સુધી ચેકઅપ કર્યા બાદ આસારામને પરત જેલમાં મોકલવામાં આવ્યા હતા.

Share This Article