આમિર ખાને ડ્રીમ પ્રોજેક્ટ ‘મહાભારત’ને કરવાનો કરી દીધો ઇન્કાર?

admin
1 Min Read

છેલ્લા કેટલાક સમયથી એવા અહેવાલ સામે આવી રહ્યા હતા કે,  બોલીવુડ અભિનેતા આમિર ખાન ”મહાભારત” પર આધારિત ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. ત્યારબાદ ખબર સામે આવી કે આ ફિલ્મ સિરીઝ તરીકે બનાવવામાં આવશે અને ઓટીટી પ્લેટફોર્મ પર કેટલાક ભાગમાં રિલીઝ કરવામાં આવશે.

પરંતુ હવે આમિર ખાને પોતાના ડ્રીમ પ્રોજેક્ટ મહાભારતને કરવાનો ઇનકાર કરી દીધો છે. આ અંગે સ્પોટબોય પર અહેવાલ પ્રકાશિત થયા છે જે મુજબ , મહાભારત પ્રોજેક્ટ હાલ ઠપ પડી ગયો છે.

અભિનેતા સાથે સંકળાયેલા સૂત્રોએ કહ્યું કે, સારા અને ખરાબને જોતા આમિર ખાને ‘મહાભારત’  નહીં બનાવવાનો નિર્ણય લીધો છે. તે કોઈપણ માટે બિનજરૂરી વિવાદાસ્પદ હોઈ શકે છે. વધુ મહત્વની વાત એ છે કે, તેમણે આ પ્રોજેક્ટ બનાવવાની યોજના જે સ્કેલ પર કરી હતી તે વ્યાવસાયિક ધોરણે એટલું વ્યવહારિક નહોતી. તેમ જ ‘મહાભારત’ માટે તેમના કિંમતી સમયના પાંચ વર્ષોને અલગ રાખવાનો અર્થ છે કે તેના હાથમાંથી ઓછામાં ઓછી ત્રણ ફીચર ફિલ્મો ગુમાવવી. તેથી ‘મહાભારત’ બનાવશે નહીં.

Share This Article