વડોદરા : શિનોરમાં ચાર કિશોરો નર્મદાનાં વહેણમાં તણાયા

admin
1 Min Read

શિનોર તાલુકાના દિવેર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં ન્હાવા પડેલા ચાર કિશોરો નર્મદાના વહેણમાં તણાઈ જતાં બે કિશોરોના મૃતદેહ મળ્યા. જ્યારે અન્ય બે લાપતાં બનેલાં કિશોરોની ફાયર બ્રિગેડની ટીમે શોધખોળ હાથ ધરી છે. મળતી વિગત અનુસાર શિનોર તાલુકાના દિવેર ગામે મઢી નર્મદા નદીમાં ન્હાવા આવેલા સાધલી અને કરજણના કિશોરો નર્મદા નદીના વહેણમાં એકાએક તણાઈ જતાં દિવેર મઢી ખાતે ભારે સન્નાટો છવાઈ ગયો હતો.

 

 

 

નર્મદા નદીમાં ન્હાવા પડેલા ચાર ઈસમો નર્મદા નદીના વહેણમાં તણાઈ ગયા હોવાની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરાતાં તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ દિવેર મઢી ખાતે આવી પહોંચી કિશોરોની શોધખોળ હાથ ધરી હતી. જેમાં ચાર કિશોરો પૈકી બે કિશોરોના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે અન્ય બે લાપતા બનેલ કિશોરોની શોધખોળ હાથ ધરી છે

Share This Article