બીલીમોરામાં જૂની અદાવતમાં યુવકની કરાઈ ઘાતકી હત્યા, સમગ્ર પંથકમાં ચકચાર

admin
1 Min Read

નવસારી જીલ્લાના બીલીમોરામાં એક યુવકની મોડીરાત્રે કરપીણ હત્યાના બનાવ અંગે પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાથમિક તપાસમાં આ હત્યા અંગત અદાવતમાં થઈ હોવાનું સુત્રો દ્રારા જાણવા મળ્યું છે. બીલીમોરાના આંતલીયા ગામનો રહેવાસી યુવકને આ બનાવ બાદ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જયાં તેનું મોત નિપજ્યું હતું. હાલ આ સમગ્ર ઘટનાની તપાસના આદેશ એસપી રુષિકેશ ઉપાધ્યાય આપ્યા છે.

ગાંધીના ગુજરાતમાં અહિંસાની વાતને કલંક લગાવતો બનાવ સામે આવ્યો છે. વાત છે નવસારી જીલ્લાના બીલીમોરાની. જયાં ગત મોડીરાત્રે યુવક પર છરીના ઘા ઝીંકી દેવાતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, બાદમાં તેનું મોત નિરજ્યું હતું. મરનાર યુવક આંતલિયા ગામનો રહેવાસી છે. પોલીસે બનાવ બાદ તપાસ હાથ ધરી છે તેમાં જાણવા મળ્યું કે આ અંગત અદાવતમાં હત્યા કરાઈ છે.

તેમજ આ અંગે પોલીસ દ્ધારા સ્થાનિકોની પુછપરછ કરી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે. તેમજ ઘટના સ્થળે પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. નોંધનીય છે કે રાજયમાં ક્રાઈમના રેશિયો ઓછો હોવાનો દાવો પોકાળતા રાજકીય નેતાની વાત ખોટી સાબિત થતી નજરે પડે છે.

Share This Article