સુરત : યુવકની હત્યા કરી સળગાવ્યો અને દાટી દીધો, મોત પહેલાં યુવક બે ઈસમો સાથે CCTVમાં કેદ થયો

admin
1 Min Read

સુરતમાં હત્યાની ઘટના સતત પ્રકાશમાં આવી રહી છે. જુના ભીમ નગર આવાસ નજીક એક યુવકની લાશને દાટી દેવામાં આવી છે એ પ્રકારની માહિતી પોલીસને મળતા પોલીસે એફએસએલની મદદથી ઘટનાસ્થળ પર જઈને જોતા મૃતદેહ બહાર કાઢ્યો હતો. ગુમ અજય મોરે નામના યુવકની હત્યા કર્યા બાદ સળગાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ દાટી દેવામાં આવ્યો હોવાની શક્યતા છે. આ યુવક મોત પહેલાં બે ઈસમો સાથે સીસીટીવીમાં કેદ થયો હતો. ઉધના પોલીસને માહિતી મળી હતી

 

 

ઉધના રેલવે ટ્રેક પાસે ઝૂંપડામાં કોઈ યુવકની હત્યા કરીને લાશ દાટી દેવામાં આવી છે જેની તપાસ કરતાં પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને ખોદકામ કર્યું હતું તે દરમિયાન માટી નીચેથી એક અજાણ્યા ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ ડિકમ્પોસ સ્થિતિમાં મળી આવતા મૃતદેહની ઓળખ થઈ શકી નથી. મૃતદેહ જોતા પ્રાથમિક તારણમાં પોલીસને લાગે છે કે મૃતદેહને હત્યા કર્યા બાદ સળગાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને દાટી દેવામાં આવ્યો હોય શકે છે એફએસએલની ટીમ પણ સાથે હોવાથી તપાસ શરૂ કરવામાં આવી છે

Share This Article