રાજકોટ : ઉપલેટાના સીઝનમાં વ્યાપાર અને વ્યવસાય કરતા લોકોને હાલાકી

admin
1 Min Read

ઉપલેટાના સીઝનમાં વ્યાપાર અને વ્યવસાય કરતા લોકોને સરકાર રાહત આપે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મળતી વિગત અનુસાર કોરોના મહામારીને કારણે છેલ્લા એક વર્ષથી સીઝન ના થતા જવા કે લાઇટિંગ સાઉન્ડ ઓરકેસ્ટ્રા ફ્લાવર્સ ડીજે સહિતના જે સિઝનના ધંધાના વ્યાપારીઓ અને તેમની સાથે સંકળાયેલા વ્યક્તિઓ છેલ્લા એક વર્ષથી નુંકશાની અને હાલાકી ભોગવી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે.

 

 

સરકાર દ્વારા જે નિયમો બનાવવામાં આવ્યા છે તેમાં થોડી રાહત આપી અને લોકોને પ્રસંગમાં બાંધછોડ આપવા તેમજ વ્યાપારીઓને ટેક્સમાંથી અને કરમાંથી પણ રાહત આપવામાં આવે તેવી માંગ સાથે ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

Share This Article