WHOના મુખ્ય વૈજ્ઞાનિકે લોકડાઉન પર ચેતવ્યાં

admin
1 Min Read

ભારતમાં હાલ કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. જેના પગલે અનેક રાજ્યોમાં આંશિક લોકડાઉન કે પછી નાઇટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવા અંગે પણ ચર્ચા ચાલી રહી છે.

આ તમામની વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુખ્ય વૈજ્ઞાનિક ડૉક્ટર સૌમ્યા સ્વામીનાથને લૉકડાઉન અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે લૉકડાઉનના પરિણામો ખૂબ ભયંકર આવશે. સાથે જ તેમણે કોરોનાની બીજી લહેરને રોકવા માટે લોકોની ભૂમિકા પર પણ ભાર મૂક્યો છે. આ દરમિયાન તેમણે વેક્સીનના ડોઝ અંગે પણ ચર્ચા કરી હતી.

અંગ્રેજી વર્તમાનપત્ર ધ ઇન્ડિયન એક્સપ્રેસ પ્રમાણે ડૉક્ટર સ્વામીનાથને કહ્યુ કે, ત્રીજી લહેર વિશે વિચારવા અને અમુક સંખ્યામાં લોકોને રસી આપવામાં આવ્યા સુધી આપણે બીજી લહેરનો સામનો કરવો જ પડશે.

આ મહામારીની ચોક્કસથી કોઈ અન્ય લહેરો પણ હોઈ શકે છે. WHO તરફથી કોવીશીલ્ડના બે ડોઝ વચ્ચે 8થી 12 અઠવાડિયાનો સમયગાળો રાખવાની સલાહ આપવામાં આવી છે.

Share This Article