સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ રાજકોટ જિલ્લા તેમજ ભારતીય જનતા પાર્ટી દ્વારા દાંડી યાત્રાનો સન્માન સમારંભ જેતપુરમાં યોજાયો હતો. મળતી વિગત અનુસાર આઝાદીના 75માં વર્ષને અમૃત મહોત્સવ તરીકે ઉજવાતા ઇતિહાસિક દાંડીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે યાત્રાને તા. ૧૨/૩/૨૦૨૧ના રોજ સાબરમતી આશ્રમ ખાતેથી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ રાજ્યના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવી હતી.
તેમાં 81 યાત્રિકો તા.૬/૪/૨૦૨૧ના રોજ દાંડી મુકામ સુંધી ચાલીને પહોંચી યાત્રા પૂર્ણ કરી હતી. જે યાત્રામાં સહભાગી થનાર પરીનભાઇ કયાડા સવારે જેતપુર આવતા દાંડી યાત્રી પરિનભાઇનો સન્માન સમારંભ બસ સ્ટેન્ડ પાસે પેટ્રોલ પંપ ખાતે યુવા બોર્ડ ઝોનલ પ્રભારીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો છે. જેમાં લલિતભાઈ રાદડિયા, ભાજપ જિલ્લા પ્રમુખ મનસુખભાઇ ખાચરિયા, જશુમતી બેન કોરાટ, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ જિલ્લા વાલી કિશોરભાઈ શાહ ઉપસ્થિતિ રહ્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી.