RSS પ્રમુખ મોહન ભાગવત આવ્યા કોરોનાની ઝપેટમાં

admin
1 Min Read
Ayodhya: RSS Chief Mohan Bhagwat during the foundation stone laying ceremony of Ram Temple, at Ram Janambhoomi site in Ayodhya, Wednesday, Aug 5, 2020. (PTI Photo)(PTI05-08-2020_000076B)

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે. દેશમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત પણ કોરોનાની લપેટમાં આવ્યા છે.

મોહન ભાગવતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને સારવાર માટે નાગપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગેની જાણકારી આરએસએસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા આપવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ખૂબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે. દેશમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. મોહન ભાગવતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને સારવાર માટે નાગપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આરએસએસના અહેવાલ પ્રમાણે આરએસએસ પ્રમુખ ભાગવતને કોરોનાના સામાન્ય લક્ષણો છે. તેમને સામાન્ય તપાસ અને સાવધાની રાખવા નાગપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Share This Article