370ની કલમ હટાવ્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 અને 29 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવશે. જેને લઈને તમામ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 2 દિવસીય પ્રવાસમાં અમિત શાહ પીડીપીયુમાં યોજાનાર એક કાર્યક્રમમાં હાજરી આપશે. મળતી માહિતી મુજબ શાહ 2 દિવસની ગુજરાતની મુલાકાત દરમિયાન સરકાર અને સંગઠનના પદાધિકારીઓ સાથે પણ બેઠક કરી શકે છે.
જેમાં સંગઠન સંરચનાને લઇને પણ ચર્ચા થઇ શકે છે. આ ઉપરાંત રાજ્યના મંત્રી મંડળ વિસ્તરણને લઇને પણ બેઠકમાં ચર્ચા થઇ શકે છે. મહત્વનું છે કે ઓક્ટોબરમાં યોજનાર વિધાનસભાની પેટાચૂંટણીને લઈને પણ ચર્ચા કરવામાં આવી શકે છે. તેમજ શાહ દ્વારા ગુજરાતની પ્રથમ બેટરી દ્વારા ચાલતી AMTS બસને પણ લીલી ઝંડી આપશે. ઉલ્લેખનીય છે કે અમિત શાહ ગૃહપ્રધાન બન્યા બાદ પ્રથમ વાર સપ્ટેમ્બરમાં સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની મુલાકાત પણ લેશે જ્યા તેમના દ્વારા કેન્દ્ર સરકારનાં અનેક વિકાસનાં કામોનું પણ લોકર્પણ કરશે.