વડોદરા : ધારાસભ્યના હસ્તે પીવાના પાણીના બોરનું લોકાર્પણ

admin
1 Min Read

ડભોઈ વિસ્તારમાં આવેલ સંતપુરી વસાહતના નાગરિકોની ઘણા વખતથી ચાલી રહેલ પાણીની સમસ્યાને  દૂર કરવા માટે પાણીના બોરનું ધારાસભ્ય હસ્તે  લોકાર્પણ કર્યું હતું. નગરપાલિકાની ચૂંટણી સમય દરમિયાન વિસ્તારની પ્રજાને  આપેલ વચનને આજે પૂર્ણ કર્યું. ડભોઇ વોર્ડ નંબર એકમાં આવેલા સંતપુરી વસાહતમાં રહેતા  દેવીપૂજક પરિવારોમાં ઘણા વર્ષોથી પાણીની સમસ્યાને લઈને રેલવે ક્રોસિંગ પાર કરી પાણી ભરી લાવતા હોય પાણીની સમસ્યાને લઈને તાજેતરમાં યોજાયેલી નગરપાલિકા ચૂંટણી બહિષ્કાર નું એલાન આપવામાં આવ્યું હતું .પરંતુ આ સમસ્યાને વહેલી તકે દૂર કરવા વચન ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા અપાયું હતું

 

આપેલ વચનને સાર્થક કરવા ચૂંટણી બાદ વહેલી તકે પાણીના બોર નું આયોજન કરવામાં આવશે એવું જણાવ્યું હતું ત્યાર બાદ મતદારોએ પોતાનો મત નો ઉપયોગ કર્યો હતો જ્યારે પાણીના બોર નું આજે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા હસ્તે લોકાર્પણ કરવામાં આવતા દેવીપૂજક પરિવારોમાં ખુશાલીનો માહોલ છવાઇ ગયો હતો. આ પ્રસંગે નગર પાલિકા ઉપપ્રમુખ એમ.એચ.પટેલ, પક્ષના નેતા બિરનભાઈ શાહ કારોબારી ચેરમેન વિશાલ ભાઈ શાહ, નગરસેવક લખુભાઇ મોરવાની  વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Share This Article