અમરેલી : અમરેલી માર્કેટિંડ યાર્ડએ બંધમાં કર્યો ફેરફાર

admin
1 Min Read

અમરેલી જિલ્લામાં સતત વધતા કોરોના સંક્રમણને ધ્યાને લઈને અમરેલી માર્કેટિંડ યાર્ડએ બંધમાં ફેરફાર કર્યો છે જેમાં અચોક્કસ સમય સુધી યાર્ડ બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી યાર્ડની હરાજી સહિતની કામગીરી બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે

 

 

 

મળતી માહિતી મુજબ જીલ્લામાં કોરોના મહામારીના કારણે સ્થિતિ વણસી રહી છે. કોરોના વધીરહેલા સંક્રમણ પર કાબૂ મેળવવા માટે ગ્રામ્ય વિસ્તારો હાલ સ્વૈચ્છિક લોકડાઉનના માર્ગે જઈ રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લાના માર્કેટીંગ યાર્ડ તરફથી મહત્વનો નિર્ણય કરાયો છે. અમરેલી માર્કેટીંગ યાર્ડ અચોક્કસ મુદત માટે બંધ કરી દેવાયું છે. ખેડૂતોને ખેતજણસ લઈ યાર્ડ પર ના આવવા માટે અપીલ કરવામા આવી છે.જ્યાં સુધી નવી જાહેરાત ના થાય ત્યાં સુધી યાર્ડમાં હરરાજી સહિતની કામગીરી બંધ રાખવાની જાહેરાત કરવામા આવી છે.

Share This Article