રાજુલામાં લાયન્સ ક્લબ તેમજ બાપાસીતારામ સેવા ટ્રસ્ટના સહયોગથી ઓમ લકુલીશ સ્કૂલમાં કોવિડ19 હોસ્પીટલના આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી દ્વારા આ હોસ્પીટલ ખુલ્લી મુકાઈ હતી. અને લાયન્સ કલબ દ્વારા આ વોર્ડ ઉભો કરાયો છે. તો બીજી બાજુ 150 ઓક્સિજનના બાટલા ભોજનની વ્યવસ્થા હીરાભાઈ સોલંકી દ્વારા કરવામાં આવી હતી.
જ્યારે જીજ્ઞેશભાઈ પટેલ અને શ્રી શેલડીયા દ્વારા આ હોસ્પિટલ બનાવવા સ્કુલ આપવામાં આવિ હતી. રાજુલા ખાતે કોરોનાના દર્દીઓ માટે 25 બેડના આઇસોલેશન વૉર્ડ ઓક્સિજન ભોજન રહેવાની સુવિધા મળે તે માટે હોસ્પિટલ બનાવી ખુલ્લી મૂકી હતી. આ મહામારીમાં સૌ સાથે મળી આ આપતી સામે લડવા એક વિનમ્ર પ્રયાસ કર્યો હતો. ત્યારે લાયન્સ કલબના સભ્યો બાપાસીતારામ ટ્રસ્ટ પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી, જીજ્ઞેશભાઈ પટેલ, કિશોરભાઈ પટેલ સાગરભાઈ સરવૈયા, ડો બાવલિયા હરસુરભાઈ સહિતના સ્વયં સેવકો, કાર્યકર્તાઓ, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા