અમરેલી : ધારી ગીરના ગળધરા ખોડિયાર મંદિર દર્શનાર્થીઓ માટે બંધ

admin
1 Min Read

રાજ્યમાં વકરી રહેલા કોરોના સંક્રમણના પગલે મોટા ધાર્મિક સ્થાનોમાં આવેલા મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામા આવ્યા છે. ત્યારે ધારી ગીરના ગળધરા ખોડિયાર મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દૈનિક કેસો ૧૨ હજારને પાર થઈ ગયા છે ત્યારે અમરેલી જિલ્લાના ધારી ગીરના ગળધરા ખોડીયાર માતાજીનું મંદિર પણ આજથી દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો નિર્ણય કરાયો છે.

અમરેલી જીલ્લાના ધારી પંથકના ખોડિયાર ડેમ નજીક આવેલ પૌરાણિક મંદિર સાથે સૌરાષ્ટ્ર ભરના લોકોની આસ્થા જોડાયેલી છે, જેના કારણે અન્ય જિલ્લા માંથી લોકો દર્શનાર્થીઓની સતત ભીડ અને અવરજવરના કારણે આજે ટ્રસ્ટીઓ દ્વારા મંદિર બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. દર્શનાર્થીઓ આજથી મંદિરના દ્વાર બંધ કરવામા આવ્યા છે. 30 એપ્રિલ સુધી મંદિર દર્શન માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.

Share This Article