અમરેલી : બગસરા શહેરમા કોવિડ સેન્ટર શરૂ કરવા આપ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી

admin
1 Min Read

અમરેલી જિલ્લામાં વધતા જતા કોરોના વાયરસને કેસને ધ્યાને રાખીને અમરેલી જિલ્લા આમ આદમી પાર્ટીના મહામંત્રી પારસભાઇ સોજીત્રાના માર્ગદર્શન હેઠળ ભાવિનભાઈ ધોરાજીયા સહિત કાર્યકર્તાઓએ બગસરા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપીને માંગ કરી છે. કે હાલ અમરેલી સિવિલ હોસ્પિટલમાં કોવિડ બેડ તેમજ વેન્ટિલેટરની સંખ્યા વધારવા સહિત બગસરા સહિત તમામ તાલુકામાં કોવિડ સેન્ટર શરૂ કરવા અર્થે બગસરા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે.

 

 

જેમાં તેમણે જણાવ્યું છે કે હાલ અમરેલી જિલ્લામાં કોરોના વાયરસને લીધે ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલ દરેક હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે ઘણા લોકો સારવારથી વંચિત રહી જાય છે તેવી સ્થિતિને ધ્યાને રાખીને આપશ્રીને એક નમ્ર અપીલ કરીએ છી એ કે તાત્કાલિક ધોરણે અમરેલી જિલ્લામાં કોવિડ સેન્ટર તાલુકા મથકમાં શરૂ કરો બેડની સંખ્યામાં તેમજ વેન્ટિલેટરમાં વધારો કરે, અમરેલી જિલ્લાના તમામ તાલુકામાં કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી..

Share This Article