દાહોદ : આમ આદમી પાર્ટી દ્વારા નગર પાલિકા દ્વારા વેરામાં રાહત આપવા દાહોદ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું

admin
1 Min Read

આમ આદમી પાર્ટી દાહોદ દ્વારા ફરી એકવાર પ્રજાની માંગને દાહોદ નગરપાલિકાના સત્તાધીશો સુધી પહોચાડવામાં આવી છે, છેલ્લા ૧૮ મહિનાથી સમગ્ર દેશ- દુનિયા અને ગુજરાત માં કોરોના મહામારી એ હાહાકાર મચાવ્યો છે ત્યારે દાહોદ નગર પણ તેનાથી બાકાત રહી શક્યુ નથી. આ કપરા સમયમાં જિલ્લામાં અને દાહોદ નગરપાલિકા હદમાં લાંબા સમય સુધી સંપૂર્ણ લોકડાઉન રહ્યા બાદ ઘણા સમય સુધી મર્યાદિત સમયગાળા માટે ધંધા રોજગાર માટે છૂટ મળતી હતી. જેના કારણે વ્યાપારીઓ તેમજ નગરજનો આર્થિક રીતે પાયમાલ થયા છે.

આથી દાહોદના નગરજનો અને વ્યાપારી વર્ગ ને આ કપરા સમયમાં રાહત આપવી એ નગરપાલિકા ની નૈતિક ફરજ બને છે.આ અનુસંધાને દાહોદ નગરપાલિકા દ્વારા તમામ નગરજનો ને મિલકત વેરામાં ૫૦% તેમજ નગરપાલિકા હસ્તક દુકાનો નું ૩ મહિનાનું ભાડું માફ કરવામાં આવે એ માંગ કરતું આવેદન પત્ર નગરપાલિકા પ્રમુખશ્રી, નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી અને દાહોદ પ્રાંત અધિકારી શ્રી ને આમ આદમી પાર્ટી દાહોદ ની આગેવાની માં દાહોદ નગરના વ્યાપારી મિત્રો અને દાહોદ નગરના જાગૃત નાગરિકો ની ઉપસ્થિતિમાં આપવામાં આવ્યા.જેને અનુલક્ષીને દાહોદ નગરપાલિકા પ્રમુખશ્રી તેમજ પ્રાંત અધિકારી શ્રી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી

Share This Article