અમરેલી : સાવરકુંડલા તાલુકા પંચાયત કચેરી ખાતે આમ આદમી પાર્ટીનું હલ્લાબોલ

admin
1 Min Read

તાઉ-તે વાવાજોડા બાદ રાજ્ય સરકાર દ્વારા કરોડોની સહાય ચૂકવ્યા બાદ સર્વેમાં ગોટાળો અને લાભાર્થીઓને સહાયને લઈ કોંગ્રેસ સતત સવાલો ઉઠાવી રહી છે. ત્યારે આજે સાવરકુંડલા તાલુકાનામાં આમ આદમી પાર્ટી દ્વારા તાલુકા પંચાયત કચેરીએ પોહચી રોષ વ્યકત કર્યો હતો અને આવેદનપત્ર આપી ન્યાય આપવાની માંગ કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી 3 દિવસનું અલટીમેટમ આપ્યું છે, ફરી સર્વે અને તપાસ નહીં થાય તો તાલુકા પંચાયતનો ઘેરાવ અને ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચારી છે.

Share This Article