પંચમહાલ : તળાવમાં ડૂબતા યુવાનનું મોત

admin
1 Min Read

પંચમહાલ જીલ્લાના નાદરવા ગામે મુખ્ય તળાવ જે સિંચાઈ માટે વપરાય છે ત્યારે સ્થાનિકો દ્વારા તળાવમા આવેલી મચ્છી પણ પકડવામાં આવે છે જેમાં 1લી તારીખના રોજ મકવાણા ફળિયામા રહેતા રાજેશભાઇ મકવાણા તેમના ઘર માટે મચ્છી પકડવા તળાવમા ગયા હતા. જેમાં મચ્છી પકડતા તળાવમા પગ લપસી જતા તળાવમા ગરકાવ થયા હતા. ઘરના સભ્યો દ્વારા રાજેશભાઈની શોધખોળ કરવામાં આવી હતી પરંતુ તેને કોઈ જાણ થઈ ન હતી ઘરમાં ફક્ત તેમના પિતા અને બીમાર હાલત હોવાના કારણે તેમને કોઈ અરજી કે કોઈ પોલીસ ફરિયાદ કરી ન હતી

જેને લઈ આજ રોજ સવારના સમયે વ્યક્તિ દૂધ ભરવા જતા સમયે તેમને તળાવમાં કોઈ ડૂબી ગયેલું હોય તેવું દેખાયું હતું તેની વાત પવનવેગે ફરતા જોત જોતામાં ગામના લોકોનો ટોડે ટોળા ભેગા થયા હતા જેમાં સમગ્ર ઘટના ની જાણ પોલીસ ને કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી પોલીસ દ્વારા સ્થાનિક લોકોની મદદે ભારે જહેમત બાદ મૃતદેહ તળાવની મધ્ય માંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

Share This Article