એલ આઈ સી એજન્ટોનો સેમીનાર યોજાયો

admin
1 Min Read

અમરેલી અવધ હોટલ ખાતે એલ.આઈ.સી.ના એજન્ટનો સેમિનાર યોજાયો હતો. એલ.આઇ.સી.ની શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ કિરીટભાઈ જીવાણીને મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કર્યા હતા. અમરેલ શહેર ખાતે આવેલ અવધ હોટેલ ખાતે એલ.આઈ.સીના એજન્ટોને એલ.આઇ.સી.ની વિવિધ યોજનાઓની માહિતી મળે તેવા હેતુ અન્વયે એક સેમીનાર યોજાયો હતો. સમગ્ર સેમીનાર એલ.આઈ.સીના બ્રાન્ચ મેનેજર દિલીપભાઈ સોરઠીયાના માર્ગ દર્શન હેઠળ યોજવામાં આવેલ હતો.

આ તકે એલ આઈ સીના ડેવલોપમેન્ટ ઓફિસર દેવદત્તભાઈ જાની દ્વારા એજન્ટોને વિવિધ યોજનાઓની માહિતીથી સમજુતી આપવામાં આવી હતી. અમરેલી એલ.આઈ.સીના બ્રાન્ચ મેનેજર દિલીપભાઈ સોરઠીયા અને સહાયક ઓફિસર ગિરિસભાઈ ગોહિલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં એલઆઈસી એજન્ટ તરીકેની શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ કિરીટભાઈ જીવાણીને મોમેન્ટો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતી.

Share This Article