દાહોદ-ધારાસભ્ય નિમિષા સુથારને લઈ આવેદન અપાયું

admin
1 Min Read

ખોટા આદિજાતિ પ્રમાણપત્રના વિવાદમાં ઘેરાયેલા ધારાસભ્ય શ્રીમતી નિમિષાબેન સુથારને આદિજાતિ મંત્રી પદેથી દૂર કરવા બાબતે ગરબાડા તાલુકાના આદિવાસી પરિવાર દ્વારા આજરોજ ગરબાડા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. મોરવા હડફ વિધાનસભાના ધારાસભ્ય અને નવ નિયુક્ત મંત્રી નિમિષાબેન સુથાર સામે ગરબાડા તાલુકાના આદિવાસી પરિવારમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. નિમિષાબેન સુથાર ખોટા આદિજાતિ પ્રમાણપત્ર ઉપર ચૂંટણી જીત્યા છે જેથી તેમનું પદ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

હાલમાં જ નવા મુખ્યમંત્રી અને નવા મંત્રીમંડળની રચના થઈ છે. જેમાં મોરવા હડફ વિધાનસભા બેઠક ઉપર વિજય થયેલા નિમિષાબેન સુથાર ને પણ આદિજાતિ મંત્રાલયના મંત્રી તરીકેની જવાબદારી સોપાઈ છે. તેને લઈને દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના આદિવાસી પરિવારમાં રોષ ભભૂકી ઉઠ્યો છે

Share This Article