કોરોનાકાળમાં સમગ્ર દેશમાં લૉકડાઉન લગાવવામાં આવ્યું અને તેની અસર દેશની ઈકોનોમી પર પડી. સંક્રમણના કારણે લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે દેશના તમામ ક્ષેત્રોને આર્થિક ફટકો પડયો છે અને તેમાં એરપોર્ટનો પણ સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન ગુજરાતના 11માંથી 9 એરપોર્ટને તોતિંગ આર્થિક નુકસાનનો સામનો કરવો પડયો છે. જેમાં અમદાવાદ એરપોર્ટને સૌથી વધુ રૂપિયા 94.10 કરોડનું નુકસાન થયું હતું. ગુજરાતના જે એરપોર્ટ ખોટથી બચ્યા છે તેમાં કંડલા અને પોરબંદરનો સમાવેશ થાય છે.2020-21 દરમિયાન રાજ્યના એરપોર્ટને કુલ રૂપિયા 127 કરોડથી વધુનું નુકસાન થયું છે. દેશભરમાં કેટલાક એરપોર્ટ એવા છે જેઓ નાણાકીય વર્ષ દરમિયાન નફો રળવામાં સફળ રહ્યા છે. જેમાં અમદાવાદ એરપોર્ટનો પણ સમાવેશ થતો હતો.
પરંતુ કોરોના વાયરસને પગલે એર ટ્રાફિક ઠપ રહેતાં અમદાવાદ એરપોર્ટને રૂપિયા 94.10 કરોડનું નુકસાન થયું હતું. અમદાવાદ એરપોર્ટ ખાતે દરરોજ સરેરાશ 15 હજારથી વધુ મુસાફરોની અવર-જવર નોંધાતી હોય છે. પરંતુ અઢી મહિના સુધી બંધ રહેલી ફ્લાઇટ અને અનલોક બાદ પણ મુસાફરોની અવર-જવર ઘટીને 5 હજાર થઇ ગઇ હતી. આ વર્ષે પણ ફેબ્રુઆરીથી મે દરમિયાન મુસાફરોની સંખ્યા સાધારણ હતી. હવે કોરોનાના કેસ ઘટતાં અમદાવાદ એરપોર્ટમાં દૈનિક મુસાફરોની સંખ્યા હવે વધીને 12 હજાર થઇ ગઇ છે. હજુ આવનારા મહિનાઓમાં અમદાવાદ એરપોર્ટ ખાતે મુસાફરોની દૈનિક અવર-જવર 15 હજાર થઇ શકે છે
ગુજરાત-કોરોના કાળમાં ૯ એરપોર્ટને નુકસાની
Leave a comment
Leave a comment