ધારાસભ્ય જીજ્ઞેશભાઇ મેવાણીની ધરપકડના વિરોધમાં આજરોજ વડોદરા શહેર તથા જીલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરશ્રીની કચેરી બહાર ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર તથા રાજ્યની ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિઓ અને સરમુખત્યારશાહી વલણને લીધે રાજ્યની પ્રજા ત્રસ્ત બનેલી છે. પ્રજા વીજળી, મોંઘવારી, સરકારી નોકરીઓમાં વારંવાર ગેરરીતી, પેપર લીક કાંડ સહિત અનેકવિધ સમસ્યાઓથી ઘેરાયેલાં છે જયારે બીજી બાજુ, સરકારના પ્રજા વિરોધી નિર્ણયો સામે વિરોધ વ્યક્ત કરવાની પ્રજાની મૂળભૂત સ્વતંત્રતા ઉપર પણ કાપ મૂકવામાં આવ્યો છે અને કેન્દ્ર અને રાજ્ય સરકારે વિરોધ વ્યક્ત કરનારાઓ સામે પણ પ્રતિબંધક કાનૂની જોગવાઈઓનો બેફામ દુરુપયોગ કરવાનું વલણ અપનાવ્યું હોવાથી પ્રજામાં ભય અને દહેશતનું વાતાવરણ પેદા થયું છે.
આવી જ કાનૂની જોગવાઈનો દુરુપયોગ કરીને વડગામના ધારાસભ્યશ્રી જીગ્નેશભાઇ મેવાણીની તદન વાહિયાત કારણોસર ધરપકડ કરીને ભાજપ સરકારે બ્રિટિશ રાજ્યની યાદ તાજી કરી છે. ત્યારે હંમેશની જેમ સત્ય અને પ્રજાને પડખે રહેવાની નીતિ અને વલણ ધરાવતો કોંગ્રેસ પક્ષ આવા સરકારના જન વિરોધી નિર્ણયો સામે પ્રજાનો અવાજ બુલંદ કરવાના પ્રયાસને ઉજાગર કરે છે ત્યારે આજરોજ વડોદરા શહેર/જીલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરશ્રીની કચેરી બહાર પ્લેકાર્ડસ સાથે ધરણાં પ્રદર્શન સાથે સરકાર સામે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જેમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ત્રૃત્વિજ જોશી, નેતા અમીબેન રાવત, મ્યુનિ. કાઉન્સિલર અને પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ, વડોદરા જીલ્લા કોંગ્રેસ ના સાગર બ્રહ્મભટ્ટ સહિતના કોંગ્રેસના મ્યુનિ. કાઉન્સિલરો, પૂર્વ કાઉન્સિલરો સહિતના કાર્યકરો મૌન ધરણાં પ્રદર્શનમા ઉપસ્થિત રહ્યાં હતાં.