કબીર સિંહ બાબતે અર્જુન કપૂરે કર્યો ખુલાસો

admin
2 Min Read

સાઉથની ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ની હિન્દી રિમેક ‘કબિર સિંહ’ એ બૉક્સ ઑફિસ પર 275 કરોડથી પણ વધુ કમાણી કરી છે. મહત્વનું છે કે આ ફિલ્મમાં શાહિદ કપુરે શાનદાર એક્ટિંગ કરી હતી અને ચારેય તરફથી તેના વખાણ થઇ રહ્યા છે. ત્યારે શાહિદ કપુરની પહેલી એવી ફિલ્મ છે કે જેણે 200થી વધુ કમાણી કરી હોય. ત્યારે આ ફિલ્મને લઇને બોલીવુડ સ્ટાર અર્જુન કપુરે પણ એક નિવેદન આપતા તમામ લોકો ચોકી ઉઠયા છે.

અર્જુન કપૂરે એક ઇવેન્ટમાં જણાવ્યું કે જ્યારે પ્રૉડ્યુસર્સે આ ફિલ્મના રાઇટ્સ ખરીદ્યા, તો તેના મગજમાં લીડ રોલ માટે તે જ હતો. પણ ફિલ્મ નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગા આ રોલ માટે પહેલાથી જ શાહિદ કપૂરને લેવાની વાત કરી ચૂક્યા હતા. અર્જુન કપૂરે કહ્યું કે, “આ મામલો સ્ટેજ સુધી પહોચ્યો જ નહીં, જ્યાં હું પસંદગી કરું કે નકારું. જ્યારે અશ્વિન અને મુરાદ જેમણે મુબારકા બનાવી છે. તેમણે ફિલ્મના રાઇટ્સ ખરીદ્યા તો તેમના મગજમાં મારો જ વિચાર હતો. પણ ફિલ્મમાં નિર્દેશક સંદીપ રેડ્ડી વાંગા શાહિદ કપૂરને મળી ચૂક્યા હતા.

તે પહેલાથી જ ફિલ્મ જોઇ ચૂક્યા હતા. તેથી તેમણે શાહિદ કપુર સાથે ફિલ્મ કરવાનો નિર્ણય લીધો. ઉલ્લેખનીય છે કે અર્જૂન કપૂર હાલ પાનીપતના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ માટે અર્જૂને ટકલુ પણ કરાવ્યું હતું, જેને કારણે છેલ્લા 9 મહિનાથી તે કેપ લગાવીને ફરી રહ્યા છે. આ ફિલ્મમાં અર્જુન કપૂર પોતાની કરિયરના સૌથી અઘરા રોલમાં જોવા મળશે. પાનીપતમાં અર્જુન કપૂર વૉરિયરના રોલમાં દેખાશે. ત્યારે તેના તમામ ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

Share This Article