દાહોદમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણી તેમજ સ્વચ્છ ભારત અભિયાનના પાંચ વર્ષ પૂર્ણ થયા તેના ભાગરૃપે સ્વચ્છતાની ઐતિહાસિક સિધ્ધી અન્વયે સ્વચ્છતા હી સેવા ૨૦૧૯ માસ કેમ્પેન અંતર્ગત દાહોદ નગરમાં સ્વચ્છતા રન મેરેથોન, પ્લાસ્ટીક મહાશ્રમદાન અને સ્વચ્છતા શપથનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે એમ.આર.પટેલ વિદ્યાલય તોયણી ખાતે મહાત્મા ગાંધીજીની 150 મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી. શાળાના આચાર્યશ્રી એન.એસ.પટેલ સાહેબ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. નરસિંહ મહેતા રચિત ગાંધીજીનું પ્રિય ભજન “વૈષ્ણવ જન તો તેને કહીએ” તેનું ગાન કરવામાં આવ્યું હતું. બાપુના જીવન પ્રસંગો તેમજ તેમના પ્રેરક પ્રસંગોની વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી. સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ અંતર્ગત “પ્લાસ્ટિક મુક્ત ભારત” ના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.
દાહોદમાં ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી
You Might Also Like
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.