બાળકોને સમજાવો સ્વતંત્રતાનું મહત્વ, રાષ્ટ્રીય મૂલ્યોનું સિંચન કરવાનો આ જ સમય છે

admin
5 Min Read

15 ઓગસ્ટ 1947ના રોજ દેશ અંગ્રેજોથી આઝાદ થયો. આ વર્ષે 75માં સ્વતંત્રતા દિવસની ઉજવણી. આપણે દર વર્ષે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરીએ છીએ પરંતુ બાળકોને સ્વતંત્રતાનું મહત્વ અને અર્થ સમજાવવાનું ભૂલી જઈએ છીએ. તે દર વર્ષે હાથમાં ત્રિરંગો લઈને પોતાની સ્કૂલ જાય છે. પરંતુ સ્વતંત્રતા દિવસ શું છે? બાળકો તેનો અર્થ જાણતા નથી. બાળકોને સ્વતંત્રતાનું મહત્વ સમજાવવા માટે, તેઓએ વીર પુરુષો વિશે જાણવું જોઈએ.
દેશની આઝાદી માટે અંગ્રેજો સામે લડતા લડતા વીરગતિ પ્રાપ્ત કરનાર મહાન નાયકો છે. આવા જ કેટલાક વીર પુરુષો અને વીર મહિલાઓ જેમણે દેશની આઝાદી માટે બલિદાન આપ્યું. ભારત દેશને આઝાદ કરવા માટે હિંસા અને અહિંસા હતી. પરંતુ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ હંમેશા અહિંસાનો માર્ગ અપનાવ્યો હતો. કેટલાક એવા વીર પુરુષો છે, જેમના વિશે વાંચીને બાળકો પણ સ્વતંત્રતાનું મહત્વ સમજી શકશે.

મહાત્મા ગાંધી:- જે હંમેશા અહિંસાના માર્ગે ચાલ્યા. અંગ્રેજોને ક્યારેય કોઈ હથિયાર કે બંદૂકથી પાઠ ભણાવ્યો નથી. ઉલટાનું તેમણે ખોટા કાયદા સામે અવાજ ઉઠાવ્યો હતો અને શાંતિપૂર્ણ રીતે આંદોલન કરીને વિરોધ કર્યો હતો. એક સમય એવો હતો જ્યારે અંગ્રેજો દ્વારા મીઠા પર પણ ટેક્સ લાગતો હતો. આ સાથે ગાંધીજીએ પણ સમાજની બુરાઈઓને ખતમ કરવાનો પ્રયાસ કર્યો હતો.

રાણી લક્ષ્મી બાઈ:- આ કવિતા ‘ખૂબ લડી મર્દાની વો તો ઝાંસી વાલી રાની થી’ બધાએ વાંચી હશે. શું તમે જાણો છો ઝાંસીની રાણી કોણ હતી? તે રાણી લક્ષ્મીબાઈ હતી જેણે દેશને આઝાદ કરાવવા અંગ્રેજો સાથે લડાઈ લડી હતી. 1858ના વિદ્રોહમાં લક્ષ્મીબાઈ આઝાદી માટે લડતા લડતા શહીદ થયા હતા.

ભગતસિંહ:- અંગ્રેજોને ઘૂંટણિયે પડવા મજબૂર કરનાર. ભગત સિંહ કે જેમનુ નામ લેતા જ આપણી અંદર એક પ્રકારનું જનુન આવી જાય છે અને એક સાચા દેશભક્તની છબી આપણી સામે આવી જાય છે તેઓ માત્ર 23 વર્ષની ઉંમરમાં જ શહીદ થઈ ગયાં હતાં અને આટલી નાની ઉંમરમાં પણ તેઓએ દેશ માટે ઘણુ બધુ કર્યું હતું. કે જેને આપણે સદીઓ સુધી ભુલી શકીએ તેમ નથી.

નેતાજી સુભાષ ચંદ્ર બોઝ:- યુવાનોમાં આઝાદીની ભાવના ભરવા માટે જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. “તું મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા” તેમના આ સ્લોગનથી યુવાનોમાં ભારે ઉત્સાહ ફેલાયો હતો. તેઓ જનતામાં ખૂબ જ લોકપ્રિય હતા. અને લોકો તેમને પ્રેમથી નેતાજી કહેતા હતા.

બહાદુર શાહ ઝફર:- 1857ના યુદ્ધ દરમિયાન તેણે ઈસ્ટ ઈન્ડિયા કંપની સામે મોરચો ખોલ્યો. તે આજે પણ લોકોને પ્રેરણા આપે છે. તે સમ્રાટ હતાં, જો તેમણે ઈચ્છ્યું હોત, તો ન માત્ર અંગ્રેજો પાસે પોતાનું શાસન જાળવી રાખ્યું હોત, એ દરજ્જો, જે પેઢીથી ચાલ્યો આવતો હતો તે પણ અકબંધ રહ્યો હોત. પરંતુ બહાદુરશાહ ઝફરે મુશ્કેલ માર્ગ પસંદ કર્યો. જે દેશની આઝાદીનું સપનું પૂરું કરવાનો હતો.

શિવરામ રાજગુરુ:- તેઓ એક મહાન ક્રાંતિકારી હતા. તેઓ ભગતસિંહના સાથી હતા. અંગ્રેજો સાથે બાથ ભીડવા તેઓ યુવાનોને તૈયાર કરતા હતા.
આ માત્ર થોડાક વીર બહાદુરોના નામ છે. પરંતુ ઘણા ક્રાંતિકારીઓએ દેશને આઝાદ કરવા માટે સર્વસ્વ બલિદાન આપ્યું હતું. દેશની સેવા માટે. તેમને ભારત માતાના વીર પુત્ર કહેવામાં આવે છે. નાના બાળકોમાં દેશ માટે કંઈક કરવાની ભાવના ત્યારે જ જન્મશે જ્યારે તેઓને તેની જાણ થશે.

બાળકોના મનને દેશ પ્રત્યે કંઈક સારું કરવાની દિશા આપો, તે રીતે તમારા સમર્પણની ભાવના રાખો. આનાથી આવનાર સમયમાં એક મહાન હેતુ પૂરો થઈ શકે છે. જે તમને સખત મહેનત કરવા અને તમારા કામમાં વધુ સારું કરવા માટે પ્રેરિત કરશે.

બાળકોમાં સારી ટેવો કેળવો. તેમને દેશના જવાનો વિશે જણાવો. ઘણી ઐતિહાસિક જગ્યાઓ છે, તેમના વિશે પણ બાળકોને જણાવો. જે તેમનામાં કુતૂહલ જગાવશે. ઘણી એવી ફિલ્મો છે જે જોઈને તેઓ ઘણું શીખી શકે છે. બાળપણ એ યોગ્ય સમય છે જ્યારે બાળકોમાં રાષ્ટ્રીય મૂલ્યોના ગુણો કેળવી શકાય છે. તેમને વીર રસની દેશભક્તિની કવિતાઓ યાદ રાખવા કહો.

સૌથી સારી વાત એ હશે કે દેશભક્તિના પુસ્તકો વાંચી અને તેમને જાતે જ સંભળાવો… દેશભક્તિથી ભરપૂર ગીતનું જાતે જ ગાઈને બાળકને સંભળાવો. તમે પોતે કેટલા દેશભક્ત છો, પહેલા તમારા મન પર હાથ રાખો, પછી બાળકો પાસેથી અપેક્ષા રાખો…

Share This Article