લીમખેડા શાસ્ત્રી ચોક પર પીકઅપ સ્ટેન્ડ નજીક બજારમાં વર્ષોથી વસવાટ કરીને લુહાર જાતિના ૧૫ જેટલા પરિવારો લુહારી કામ કરી ગુજરાન ચલાવી રહ્યા છે. તે લોકોના ઘરની આગળ હસમુખભાઈ ડબગર દ્વારા દાહોદ જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી અને જિલ્લા કલેક્ટર દ્વારા અરજદાર હસમુખભાઈ ડબગરની રજુઆતને ધ્યાનમાં લઈને લુહાર પરિવારના ઘરોની આગળ કેબીન મુકવા હુકમ કર્યો હતો. જિલ્લા કલેક્ટરના હુકમને આધારે સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત સાથે કેબીન મુકવામાં આવતા સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. તેઓના ઘરની આગળ પતરાનુ કેબીન મુકતા અવર જવર માટે પણ તકલીફ પડી રહી છે. સાથે તેઓના ધંધા રોજગારમાં પણ મોટી ક્ષતી પહોંચતા આજે લુંહાર પરિવારના ૧૫ જેટલા પરિવારના ૫૦ થી વધુ લોકોએ કલેક્ટર કચેરીએ પહોંચીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું કે, સ્થાનિક રહીશોની માંગ છે કે, તેઓના ઘરની આગળ પતરાનુ કેબીન મુકતા તેઓને અવર જવરનો રસ્તો બંધ થઈ ગયો છે, જેથી લોકોને ખૂબજ મુશ્કેલી પડી રહી છે ત્યારે સ્થાનીક લોકોએ પડતી મુશ્કેલીઓના નિવારણ માટે રજુઆત કરી હતી અને સ્થળ ઉપર તપાસ કરાવી યોગ્ય નિરાકરણ લાવવા તેમજ ન્યાય અપાવવાની માંગ કરી હતી.
દાહોદ : લીમખેડામાં પતરાનું કેબીન મુકતા લોકોને અવરજવરમાં તકલીફ
You Might Also Like
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.