દાહોદમાં નવરાત્રી મહોત્સવનું આયોજન

admin
1 Min Read

દાહોદમાં લીમડી ગામમાં રણછોડરાયજીના મંદિર આગળ માળી સમાજ દ્રારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માળી સમાજ દ્વારા અલગ અલગ ગુજરાતી કલાકારો બોલાવીને ગરબાની રમઝટ બોલાવી હતી. જેમાં ગત સાંજના ગુજરાતના પ્રખ્યાત કલાકાર કમલેશ બારોટ અને તેમની ટીમ દ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. જેમા સૌ કોઈ નાના મોટા ગરબે ઘૂમ્યા હતા. સાથે સાથે સ્વછતા તેમજ પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા તેવા શપથ પણ ગામ પંચાયત લીમડીના સરપંચ દ્વારા નવરાત્રિમાં સૌ કોઈ ગરબે ગુમી રહેલા લોકોને તેમજ ગરબા દેખવા આવનાર લોકોને શપથ લેવડાવ્યા હતા. તેમજ પ્લાસ્ટિકની થેલીઓ ઉપયોગમાં નહી લેવા માટે લોકોને અનુરોધ કર્યો હતો. તેમજ ગ્રામ પંચાયત સરપંચ દ્વારા 1000 જેટલી કપડાંની થેલીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

Share This Article