રાજકોટ જીલ્લાના ધોરાજીમાં દશેરા નિમિતે નવદુગાઁ ગરબી મંડળ દ્વારા આયોજીત ભૂલકાં ગરબીનું આયોજન જેમાં 270 થી વધારે બાળકોએ રાસ ગરબા રમ્યા હતા. ધોરાજીનાં બહારપુરાં વણકર વાસ નસીબ ચોક ખાતે નવદુગાઁ ગરબી મંડળ તથા દાતાઓના સહયોગ અને લતાવાસીઓ સહકારથી દર વર્ષની જેમ આ વર્ષે પણ નવલા નોરતા નવરાત્રીમાં રાસ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ નવદુગાઁ ગરબી મંડળનાં હોદદારો કાર્યકર્તા આગેવાનોએ ભારે જહેમત ઊઠાવીને નવ દિવસ માતાજીની આરાધના કરી હતી. ભૂલકાંઓ પણ મન મુકી રાસ ગરબા રમી શકે તેવું વાતાવરણ ઉભું કર્યુ હતુ. આ ગરબી મંડળમાં 270 થી પણ વધારે નાનાં મોટાં ભૂલકાંઓ રાસ ગરબા રમી રહયાં હતા. આ રાસ ગરબામાં રમતાં ભૂલકાંઓને અલગ અલગ પ્રકારની લહાણીઓ આપવામાં આવી હતી.
રાજકોટમાં દશેરા નિમિતે ગરબાનું આયોજન
You Might Also Like
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
Leave a comment
Leave a comment