સુરત સાંસદે ગાંધી સંકલ્પ યાત્રા યોજી

admin
1 Min Read

સુરતમાં સાંસદ દર્શના બેન જરદોસે કાઢેલી ગાંધી સંકલ્પ યાત્રામાં મોટી સંખ્યામાં મુસ્લિમ કાર્યકરો જોડાયા હતા. મળતી માહિતી અનુસાર મહાત્મા ગાંધીજીની 150મી જયંતિ નિમિત્તે વડાપ્રધાનની સુચના હેઠળ સાંસદ પોતાના મત વિસ્તારમાં ગાંધી સંકલ્પ યાત્રા યોજી ગાંધી વિચારોને જનજન સુધી પહોંચાડવાનું સરાહનિય કાર્ય કરી રહ્યાં છે. જે અંતર્ગત સુરત સાંસદ દર્શના બેને તેમના મત વિસ્તાર નાનપુરા ,મક્કાઈપુલ, ચોક બજાર, સહિત વિધાનસભા વિસ્તારોમાં યાત્રા યોજી હતી. મક્કાઈપુલ પાસેથી સંકલ્પ યાત્રા શરૂ થઈ અને પૂર્વ વિધાનસભા મત વિસ્તારમાં ફરી હતી. યાત્રાનું જુદી જુદી  જગ્યાઓ પર સ્વાગત કરવામાં આવ્યું હતું.  ગાંધી સંકલ્પ યાત્રામાં મુસ્લિમ કાર્યકતાઓ જોડાયા હતા.

 

Share This Article