જૂના સચિવાલયને ફરીથી વિકસાવવાનો પ્રોજેક્ટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહ્યો છે. હવે જૂના સચિવાલયની જગ્યાએ નવું બિલ્ડીંગ બનાવવામાં આવશે. જૂના સચિવાલયમાં અનુક્રમે આઠ બ્લોક તૈયાર કરવામાં આવશે. ડૉ. જીવરાજ મહેતા ભવનમાં બિલ્ડીંગોની હાલત જર્જરિત બની છે. કચેરીઓ ખૂબ જ જૂની અને જર્જરિત છે. લિફ્ટ, ફાયર ફાઈટિંગ સિસ્ટમ, પાર્કિંગ સહિતની અન્ય પ્રાથમિક સુવિધાઓ પણ યોગ્ય નથી. જેથી જૂના સચિવાલયને રિ-ડેવલપ કરવાનો નિર્ણય લેવાયો છે.
માર્ગ અને મકાન વિભાગ દ્વારા પુનઃવિકાસ માટેનો આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જૂના સચિવાલયમાં અનુક્રમે આઠ બ્લોક તૈયાર કરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં 100 કરોડના ખર્ચે 2 બ્લોક તૈયાર કરવામાં આવશે. જેમાં લિફ્ટ સહિતની અદ્યતન સુવિધાઓ ઉભી કરવામાં આવશે. આ માટે ટૂંક સમયમાં ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. હાલ જૂના બિલ્ડીંગને યથાવત રાખીને જૂના સચિવાલયમાં કાર્યરત કચેરીઓની કામગીરી ખોરવાઈ ન જાય તે માટે નવું માળખું તૈયાર કરવામાં આવશે.
નવા બ્લોક તૈયાર થયા બાદ જ જૂના બ્લોક તોડીને ઓફિસો ખસેડવામાં આવશે. નવી ઇમારતો બની ગયા બાદ જૂની ઇમારતોને તોડી પાડવામાં આવશે. હાલ જૂના સચિવાલયમાં 20 બ્લોક છે, જેમાં હાલના 3 માળના સ્ટ્રક્ચરને બદલે 8 માળનું નવું સ્ટ્રક્ચર બનાવવામાં આવશે. જૂના સચિવાલયના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને મુખ્યમંત્રીની મંજૂરી મળ્યા બાદ હવે સીટીપી ઓફિસ દ્વારા બ્લોક અને ઓફિસ પ્લાન પણ મંજૂર કરવામાં આવ્યા છે.
