થરા-રાધનપુર હાઇવે પરની ઘટના

admin
1 Min Read

બનાસકાંઠાના થરા-રાધનપુર હાઈવે પર કેમિકલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો હતો. જેના પગલે આસપાસના વિસ્તારમાં ભાગદોડ મચી જવા પામી હતી. હાઈવે પર જ ટેન્કરમાં આગ લાગતા થોડા સમય માટે વાહન વ્યવહાર પણ ખોરવાઈ જવા પામ્યો હતો. મળતી માહિતી મુજબ, બનાસકાંઠાના વાહનોથી ધમધમતા રહેતા થરા-રાધનપુર હાઈવે પર કેમિકલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ લાગી હતી. ટેન્કરના ડ્રાઈવર અને ક્લીનરે સમય સુચકતા વાપરી ટેન્કરમાંથી બહાર નીકળી પોતાનો જીવ બચાવી લીધો હતો. જોત જોતામાં આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતા આખે આખુ ટેન્કર આગની ચપેટમાં આવી ગયું હતું. જ્યારે બનાવના પગલે ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જેમણે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. જોકે, આગ પર કાબુ મેળવાયો ત્યાં સુધી ટેન્કર બળીને ખાખ થઈ ગયુ હતું.

Share This Article