બનાસકાંઠા : પ્રજાપતિ સમાજના લોકોમાં રોષ

admin
1 Min Read

મેમદપુર ગામે ગામના જયતીભાઈ પ્રજાપતિ ને પોતાની દુકાન બાહર અગમ્ય કારણોસર ત્રણ વ્યક્તિઓએ માર મારી ઈજાઓ પોહચાડી દુકાનના સામાનને નુકશાન કર્યું હતું જે બાબતે વડગામ પોલીસ મથકે ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે જેમાં એક આરોપી SRP નડિયાદ ખાતે ફરજ બજાવે છે પોલીસે નડિયાદ હેડ કોટર ખાતે પણ આરોપી વિરુદ્ધમાં પુરાવા સાથેના કાગળો મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જોકે સમગ્ર મામલે આજે પ્રજાપતિ સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે,સમાજના લોકો એકઠાં થયાં હતાં ત્યારબાદ વડગામ પોલીસ મથકે પોહચ્યા હતાં જ્યાં વડગામ PSI સમક્ષ સમગ્ર મામલે ઝડપી ન્યાયીક કરવા રજુઆત કરી હતી જોકે વડગામ પોલીસ સ્ટેશનના PSI ને મળતા કેસમાં યોગ્ય તપાસ થઈ રહી હોવાની વાત કરી સમગ્ર મામલે તપાસ પ્રક્રિયા પર વાત કરી ઝડપી તપાસ સાથે હૈયા ધારણા આપતા સમાજે પોલીસ કાર્યવાહીથી આખરે સંતોષ માન્યો હતો.

Share This Article