મેમદપુર ગામે ગામના જયતીભાઈ પ્રજાપતિ ને પોતાની દુકાન બાહર અગમ્ય કારણોસર ત્રણ વ્યક્તિઓએ માર મારી ઈજાઓ પોહચાડી દુકાનના સામાનને નુકશાન કર્યું હતું જે બાબતે વડગામ પોલીસ મથકે ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે જેમાં એક આરોપી SRP નડિયાદ ખાતે ફરજ બજાવે છે પોલીસે નડિયાદ હેડ કોટર ખાતે પણ આરોપી વિરુદ્ધમાં પુરાવા સાથેના કાગળો મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જોકે સમગ્ર મામલે આજે પ્રજાપતિ સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે,સમાજના લોકો એકઠાં થયાં હતાં ત્યારબાદ વડગામ પોલીસ મથકે પોહચ્યા હતાં જ્યાં વડગામ PSI સમક્ષ સમગ્ર મામલે ઝડપી ન્યાયીક કરવા રજુઆત કરી હતી જોકે વડગામ પોલીસ સ્ટેશનના PSI ને મળતા કેસમાં યોગ્ય તપાસ થઈ રહી હોવાની વાત કરી સમગ્ર મામલે તપાસ પ્રક્રિયા પર વાત કરી ઝડપી તપાસ સાથે હૈયા ધારણા આપતા સમાજે પોલીસ કાર્યવાહીથી આખરે સંતોષ માન્યો હતો.
બનાસકાંઠા : પ્રજાપતિ સમાજના લોકોમાં રોષ
You Might Also Like
Sign Up For Daily Newsletter
Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.